3 સંતાનો ધરાવતા ઉમેદવારને સરપંચ પદેથી દુર કરી શકાય :ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

3 સંતાનો ધરાવતા ઉમેદવારને  સરપંચ પદેથી દુર કરી શકાય :ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આગામી સમયમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાની છે, ત્યારે ત્રણ સંતાનો ધરાવતા ઉમેદવારને લઈને ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો જારી કર્યો છે.ગુજરાત હાઈકોર્ટે ત્રણ બાળકો હોવાના કારણે સરપંચને ગેરલાયક ઠેરવવા અંગે અપાયેલી નોટિસ પર મનાઈ હુકમ ફરમાવ્યો છે.

હાઇકોર્ટેનું કહેવું છે કે, સરપંચને પંચાયત એક્ટની જોગવાઈ હેઠળ સરપંચ પદેથી દુર કરી શકાય, પરંતુ ગેરલાયક ઠેરવી શકાય નહિ. સરપંચની ચૂંટણી ગ્રામજનો સીધી રીતે કરતા હોવાથી પંચાયતની જોગવાઈ હેઠળ સરપંચ ગ્રામ પંચાયતના સભ્યોથી અલગ છે. સરપંચ પોતાની ચૂંટણી બાદ ગ્રામ પંચાયતનો સભ્ય બને છે. સભ્ય હોવાના કારણે સરપંચ બનતો નથી.