ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીની એક કંપનીને તાળા, 70 રત્નકલાકાર રસ્તા પર

ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીની એક કંપનીને તાળા, 70 રત્નકલાકાર રસ્તા પર

Mnf network:  સુરતની જાણીતી ડાયમંડ કંપની કિરણ જેમ્સની કંપની મિલન ડાયમંડના 70 કર્મચારીઓને છુટા કરી દેવાતા ભારે હોબાળો મચી ગયો છે.કિરણ જેમ્સ એ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીની કંપની છે. મિલન ડાયમંડના કર્મચારીઓને એમ કહીને છુટા કરી દેવાયા કે અત્યારે જાડી સાઇઝના ડાયમંડમાં કંપનીને પોષાતું નથી અને આખું ખાતું જ બંધ કરી દેવામાં આવ્યું છે.

રત્નકલાકારોએ માંગણી કરી છે કે તેઓ 15 વર્ષ કરતા વધારે સમયથી કંપનીમાં કામ કરી રહ્યા છે તો તેમને ગ્રેજ્યુઇટી સહિતના લાભો પહેલા આપવામાં આવે.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપ પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું હતું કે, આમ પણ રત્નકલાકારો છેલ્લાં ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.