પૂર્વ કેબિનેટ મંત્રી જય નારાયણ વ્યાસે ભાજપના નેતાઓની ઠેકડી ઉડાડતા કહ્યું , '......બસ કમલમ ના બાળકોને ખબર નથી.'

પૂર્વ કેબિનેટ મંત્રી જય નારાયણ વ્યાસે ભાજપના નેતાઓની ઠેકડી ઉડાડતા કહ્યું , '......બસ કમલમ ના બાળકોને ખબર નથી.'

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા જય નારાયણ વ્યાસ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં સુષુપ્ત અવસ્થામાં હોય એમ લાગી રહ્યું છે ત્યારે તાજેતરમાં જયનારાયણ વ્યાસે કરેલા ભારતીય જનતા પાર્ટી વિશેના એક ટ્વિટને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

 રાજ્ય સરકારના પુર્વ સ્વાસ્થ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ટ્વીટ કરતા લખ્યું કે, ' કમલમમાંથી મીટીંગમાં હાજરી આપવા માટે ફોન આવ્યો હતો. ભુતકાળમાં જો તમને અસ્વસ્થ હોવ તો પાર્ટીના સિનિયર લોકો તમારા સ્વાસ્થ્ય અંગે પૂછતા અથવા ખબર કાઢતા હતા. હું બાયપાસ સર્જરીના કારણે હોસ્પિટલમાં છું, જે કમલમના બાળકો (Kamalam kid) સિવાય તમામ લોકો જાણે છે. પાર્ટી ચોક્કસ બદલાઈ ગઈ છે !! '

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદ ખાતે જય નારાયણ વ્યાસે બાયપાસ સર્જરી કરાવી હતી અને તે સફળ રહી હોવાનો સંદેશ પણ સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જેથી તેઓ હાલ બેડ રેસ્ટ પર છે અને તેમના ફોલોઅર્સ સોશિયલ મીડિયામાં તેમના જલ્દી સ્વસ્થ થવાના સંદેશ આપે છે. ત્યારે આજે મંગળવારે જય નારાયણ વ્યાસના આ ટ્વિટથી રાજકીય માહોલ ગરમાઇ શકે છે અથવા કોઇ નવા રાજકીય સંકેત મળી શકે છે.