સુરત : મ્યુનિસીપલ કમિશ્નરે લાઈટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા, આપ્યો કડક આદેશ

સુરત : મ્યુનિસીપલ કમિશ્નરે લાઈટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા, આપ્યો કડક આદેશ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ હોવાની ઢગલાબંધ ફરિયાદો મળતા મ્યુનિ.કમિશનર એક્શનમાં આવ્યા છે. તેમણે લાઈટ વિભાગના અધિકારીઓને ખખડાવીને ફરિયાદોનો નિકાલ કરવાની કડક સુચના આપી છે. તેમજ સ્ટ્રીટ લાઈટની રાત્રી દરમિયાન પણ ચકાસણી કરવા માટેની જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ અંગે કોઈ પણ ફરિયાદ હોય તેનો સીધો જવાબ અરજદારને મળે તે માટે સંબંધિત અધિકારીનો નંબર મળી જાય તે પ્રકારે આયોજન કરાયુ છે.

સુરત શહેરના કતારગામ ઝોનમાં વેડ વરિવાય બ્રિજ પહેલા રસ્તા પર દસ મહિના પહેલા પોલ લાગી ગયા છે પરંતુ લાઈટ લાગી ન હોવાથી ફરિયાદ સ્થાનિક કોર્પોરેટરે સીધી મ્યુનિ. કમિશ્નરને કરી હતી. આ ઉપરાંત દિવાળી દરમિયાન સુરત મ્યુનિની મુખ્ય કચેરીએ જ લાઈટ બંધ હોવાનું ખુદ મ્યુનિ. કમિશ્નરે ઝડપી પાડ્યું હતું. આ કિસ્સામાં લાઈટ વિભાગના વડા આશીષ નાયકને નોટિસ ફટકારીને તપાસ પણ સોંપવામાં આવી હતી.

લાઈટ વિભાગના કર્મચારીઓની લાપરવાહીને લીધે અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ રહેતી હોવાથી મ્યુનિ કમિશ્નરને ઢગલાબંધ ફરિયાદો મળી છે. નાગરિકોની ફરિયાદ બાદ પણ લાઈટ ચાલુ ન થતી  હોવાથી મ્યુનિ. કમિશ્નર એક્શનમાં આવી ગયા છે. મ્યુનિ કમિશ્નરની સુચના બાદ સીટી ઈઝનેરના અધ્યક્ષસ્થાને ઈલેક્ટ્રીક અને મેકેનિક વિભાગના અધિકારી-કર્મચારીઓ અને ઝોનના કાર્યપાલક ઈજનેરની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક બાદ ઓન લાઈન ફરિયાદ નોંધાવનારાને પહેલાં ઓન લાઈન ફરિયાદ મેનેજમેન્ટ થકી ઈજારદારના કર્મચારીઓના નંબર આપી દેવામા આવતા હતા. પરંતુ તેમાં ફરિયાદનો નિકાલ યોગ્ય થતો ન હોય આ સિસ્ટમાં ફેરફાર કરવાની સુચના આપવામાં આવી છે. હવે કોઈ અરજદાર ઓન લાઈન ફરિયાદ કરશે તેને ઈજારદારોના નંબરને બદલે સીધા જે તે વિસ્તારમાં ફરજ બજાવતા લાઈટ વિભાગના જુનિયર અને આસિસ્ટન્ટ ઈજનેરને નંબર આપવા માટેની સુચના આપવામા આવી છે.આ ઉપરાંત અનેક જગ્યાએ રાત્રી દરમિયાન લાઈટ બંઘ રહેવાની ફરિયાદ આવે છે તેવા કિસ્સા બહાર આતાં રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટની ચકાસણી કરવાની જવાબદારી ડેપ્યુટી ઈજનેર ને કરવા સુચના આપવામાં આવી છે.