ભક્તિ / ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ માતાજીની માંડવી માથે મૂકી ગરબે ઘૂમ્યા

ભક્તિ / ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ માતાજીની માંડવી માથે મૂકી ગરબે ઘૂમ્યા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : રાજ્યમાં નવરાત્રી ના છેલ્લા દિવસે નવમા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ મન મૂકીને નાચા હતા ત્યારે  રાજ્યના ગૃહ મંત્રી સહિતના નેતાઓએ પોતપોતાના વિસ્તારમાં ગરબામાં ભાગ લઈ માં જગદંબા ની આરાધના કરી હતી.

ઉમા નગર ઊંઝા એ માં ઉમિયા નું પવિત્ર યાત્રાધામ છે.પાટીદારોની આસ્થા અને ભક્તિ ના ધાર્મિક નગર ઊંઝા ના ધાાસભ્ય કિરીટભાઈ પટેલ માંડવી માથે મૂકી ગરબે ઘૂમ્યા હતા.જો કે નવરાત્રી દરમ્યાન ધારાસભ્યએ ઊંઝા અને વડનગરમાં વિવિધ શેરી ગરબાઓમાં જઈ માં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.