સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ખાતે મુખ્યમંત્રીએ કર્યાં નીર ના વધામણા

સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ખાતે મુખ્યમંત્રીએ કર્યાં નીર ના  વધામણા

Mnf network :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીએ નર્મદાનાં નીરના વધામણાં કર્યા હતા.

 ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ છે. વૈશ્વિક નેતા અને આપણા સૌના લાડીલા નેતા નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. આજે નર્મદા ડેમ 138.68 મીટરની ક્ષમતા સાથે છલકાયો છે. આજે નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ અને ઈચ્છાશક્તિને કારણે નર્મદા ડેમની તાકાત વધી.

આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની ભયાનક આગાહી, 21 જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 31 ફૂટ પહોંચી છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો અલર્ટ પર મૂકાયા છે. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાને અસર થવાની ભીતિ છે. પૂરની સ્થિતિ ઉભી થતાં કલેક્ટરોને સાવચેત કરાયા છે. 

સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી છોડાતાં નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દાહોદ અને વડોદરાના કરનાલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.  પાણીની આવક વધતા કરજણના પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા. તેમજ આલમપુરા, લીલીપુરા, દિવાબેટ જેવા ગામોના લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા છે.