સુરત : કોમલબેન બચકાનીવાલા ની મહિલા મોરચાના મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકે નિમણૂંક કરાઈ

સુરત : કોમલબેન બચકાનીવાલા ની મહિલા મોરચાના મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકે નિમણૂંક કરાઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશન અધ્યક્ષ સી.આર. પાટીલ,  ગુજરાત પ્રદેશના મહામંત્રી અને સુરત મહાનગરના પ્રભારી પ્રદિપસિંહ વાઘેલા, સુરત મહાનગરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા અને શહેર મહામંત્રી અને મહિલા મોરચાના પ્રભારી મુકેશભાઈ દલાલ સાથે પરામર્શ કરી આજ રોજ સુરત મહાનગરના મહિલા મોરચાના આઈ.ટી. સેલ , સોશીયલ મીડીયા વિભાગ , અને મીડીયા વિભાગના નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કોમલબેન બચકાનીવાલાની મહિલા મોરચાના મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકે નિયુક્તિ કરાતાં તેમના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

અત્રે નોંધનીય છે કે કોમલ બેન બચકાનીવાલા પરમાર્થ ફાઉન્ડેશનના સ્થાપક છે તેમજ તેઓ મહિલા મોરચાના ઍકઝીક્યુટિવ મેમ્બર છે. તેઓ અનેક સામાજીક પ્રવૃતિઓમાં હાલમાં તેમનું પાયાનું યોગદાન આપી રહ્યાં છે. એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીની પક્ષ લક્ષી વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રીય કામગીરી બજાવીને ભાજપના એક સક્રિય કાર્યકર તરીકે તેમણે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે તેઓ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ સક્રિય રહે છે.