ગોપાલ ઇટાલિયાએ સ્વામી નારાયણ મંદિરે દર્શન કરી જીત નો હુંકાર કર્યો

ગોપાલ ઇટાલિયાએ સ્વામી નારાયણ મંદિરે દર્શન કરી જીત નો હુંકાર કર્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : આમ આદમી પાર્ટીના નેતા એવા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા કતારગામ થી ચૂંટણી લડશે તેવું દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ એ ટ્વિટ કરીને માહિતી આપી હતી. ત્યારે ગોપાલ ઇટાલીયા આજે સુરતના ડભોલી ખાતે સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે પધાર્યા હતા ત્યારે તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આજે વેડ રોડ ડભોલી ખાતે સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે પધારેલા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી મુખ્યત્વે શિક્ષણ અને આરોગ્ય પર અસરકારક કામગીરી કરશે. તેમણે સૌપ્રથમ જનતા માટે શિક્ષણ અને આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.