ઊંઝા : સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાતિભવ્ય તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો

ઊંઝા : સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાતિભવ્ય તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા ના બ્રાહ્મણ શેરી વિસ્તાર મા આવેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ની જગ્યા પર ભવ્યાતી ભવ્ય તુલસીવિવાહ મંદિર ના ઉત્સાહી સ્થાનિક પૂજનીય સંતો શાસ્ત્રી સ્વામી અનુપમ દાસજી તથા સુજ્ઞેશ સ્વામી ની પ્રેરણાથી કરવામા આવ્યુ હતુ.

જેમા કૃષ્ણ પક્ષ ના યજમાન પટેલ કુસુમ બેન જીણાભા ઈ પરિવાર તથા તુલસીજી પક્ષ ના યજમાન પટેલ સુરેખાબેન દિનેશ ભાઈ પરિવાર યજમાન પદે હતા.

    જેમા શોભાયાત્રા પટેલ દિનેશ ભાઈ ના ધરે થી નીકળી નૂતન સ્વામિનારાયણ મંદિર ની જગ્યા પર આવી હતી. દરેક હરિભકત ભાઈ ઓ અને બહેનો મોટી સંખ્યા મા દર્શન તથા મહાપ્રસાદ નો લાભ લઈ ધન્ય ભાગી બન્યા હતા.સમગ્ર કાર્યક્રમ નુ આયોજન શ્રી ઘનશ્યામ મહિલા મંડળ , બહેનો ના મંદિર ( ગંગા જમના બિલ્ડીંગ) ઊંઝા દ્વારા કરવામાં આવ્યુ હતું.