Big News : વાવાઝોડાને લીધે જહાજ ડૂબ્યુ : 170 લોકો ગૂમ, જ્યારે 146 ને બચાવી લેવાયા

Big News : વાવાઝોડાને લીધે જહાજ ડૂબ્યુ : 170 લોકો ગૂમ, જ્યારે 146 ને બચાવી લેવાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  તૌકતે વાવાઝોડાને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે તારાજી સર્જાઇ છે ત્યારે મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ફસાયેલ ભારતીય જહાજ P-305 દરિયામાં ડૂબી ગયું છે. ભારતીય નેવી દ્વારા 146 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 170થી વધુ લોકો ગુમ થયેલ છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલના જણાવ્યા મુજબ, ' બોમ્બે હાઇ વિસ્તારમાં સ્થિત હીરા ઓઇલ ક્ષેત્રમાં જહાજ ' P-305 'ની મદદ માટે આઈએનએસ કોચ્ચિને રવાના કરવામાં આવ્યું હતું. INS તલવારને પણ સર્ચ અને રાહત કામગીરી માટે તૈનાત કરાયા હતા. બીજું જહાજ એટલે કે GAL કન્સ્ટ્રક્ટરનો પણ ઇમરજન્સી સંદેશ મળ્યો હતો, જેના પર 137 લોકો સવાર છે અને તે મુંબઈ કિનારે આઠ નોટિકલ માઇલ દૂર છે. INS કોલકાતાને તેની મદદ માટે રવાના કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં, સવાર 38 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પહેલા સોમવારે દિવસમાં અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાતને કારણે પાણી ભરાઈ ગયેલા ભારતીય ટગબોટ કોરોમંડલ સપોર્ટર IX માં ફસાયેલા 4 ક્રૂ સભ્યોને નેવી હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સમુદ્રમાં ફસાયેલા આ જહાજના મશીનરી ભાગોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે તે આગળ વધી શકતું ન હતું. તેનો વીજ પુરવઠો પણ બંધ કરાયો હતો.જો કે, ચક્રવાતને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળની 11 ટીમો તૈયાર રાખવામાં આવી છે. બાર પૂર રાહત ટીમો અને મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડા પ્રભાવિત રાજ્યોમાં જરૂર પાડવા પર તેમને મોકલવામાં આવશે.