મનરેગા યોજના ગ્રામીણ સમાજ માટે આશીર્વાદરૂપ

મનરેગા યોજના ગ્રામીણ સમાજ માટે આશીર્વાદરૂપ

Mnf net work:  ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગારી આપવા માટે, કેન્દ્ર સરકાર દ્વારા 23 ઓગસ્ટ 2005ના રોજ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) લાગુ કરવામાં આવ્યો હતો. આ એક રોજગાર ગેરંટી યોજના છે, જેમાં દરેક નાણાકીય વર્ષમાં શ્રમિક વર્ગના લોકોને 100 દિવસની રોજગારી આપવામાં આવે છે.

કેટલાક રાજ્યોમાં રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 150 દિવસ કરવામાં આવી છે.આ

યોજના અકુશળ કામદારોની આજીવિકા સુરક્ષિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી જેથી ગ્રામીણ વિસ્તારોમાંથી સ્થળાંતર અટકાવી શકાય. મહત્વનું છે કે સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2009ના રોજ આ યોજનાનું નામ બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના (મનરેગા) કરવામાં આવ્યું છે.

મનરેગા હેઠળ, મુખ્યત્વે અકુશળ શ્રમિકોને આવરીને વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમ કે રસ્તાઓ, નહેરો, તળાવો અને કુવાઓ જેવી ટકાઉ સંપત્તિનું નિર્માણ કરવું , તેમજ જળ સંચય, દુષ્કાળ રાહત, પૂર નિયંત્રણ, જમીન વિકાસ, શ્રમ-સઘન કામો માટે માળખાકીય સુવિધાઓનું નિર્માણ.

 નાની સિંચાઈ, વિવિધ પ્રકારના આવાસ બાંધકામ વગેરે કરવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ, અરજદારના રહેઠાણના 5 કિલોમીટરની અંદર રોજગાર પ્રદાન કરવામાં આવે છે. અને દરરોજ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે છે.

જો અરજી કર્યાના 15 દિવસમાં અરજદારને કામ ન મળે તો અરજદાર બેરોજગારી ભથ્થાનો પણ હકદાર છે. મનરેગાનો અમલ મુખ્યત્વે ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવે છે.

મનરેગા યોજના હેઠળ કામ મેળવવા માટે, ઉમેદવારો તેમના સંબંધિત બ્લોકમાં અરજી કરી શકે છે. મનરેગા માટે અરજી કરવા માટે આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો આપવી પડશે.