સુરત : VNSGU ખાતે યોજાશે ભવ્ય ‘રામોત્સવ’: ગીતા રબારી ડાયરાની રમઝટ બોલાવશે, જાણો સમય

સુરત : VNSGU ખાતે યોજાશે ભવ્ય ‘રામોત્સવ’: ગીતા રબારી ડાયરાની રમઝટ બોલાવશે, જાણો સમય

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : VNSGU ના કુલપતિ નિવાસ સ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં આપવામાં આવેલ માહિતી મુજબ, મર્યાદાપુરુષોત્તમ ભગવાનના જન્મ સ્થળ અયોધ્યા ખાતે જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.

ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વ વિદ્યાલયના પ્રાંગણમાં 16 જાન્યુઆરી 2024 થી 22 જાન્યુઆરી 2024 સુધી શ્રી રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પારંપરિક ગરબા, શાસ્ત્રીય નૃત્ય, નૃત્ય નાટિકા, જનજાતિ નૃત્ય, લાઈવ કોન્સર્ટ, ડાયરો, મહાઆરતી, રામરથયાત્રા અને પ્રાણપ્રતિષ્ઠા જેવા કાર્યક્રમ યોજાશે. આ દરેક કાર્યક્રમની ખાસિયત એ હશે કે એમાં રામ અને રામાયણ વણાયેલા હશે.

રામોત્સ્વ હેઠળ યોજાનારા કાર્યક્રમોની શૃંખલા અંતર્ગત 16 તારીખે ઉદઘાટન સાથે ગરબાનું આયોજના થયું છે, જેમાં ગરબાના વિવિધ ગ્રુપ્સ ભાગ લેશે. 17 તારીખે શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ યોજાશે. 18 તારીખે નાટિકા અને નૃત્ય નાટિકા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો હશે. 19મીએ સંગીત સંધ્યા હશે જેમાં જાણીતા કલાકાર હાર્દિક દવેનું બેન્ડ પરફોર્મ કરશે. અને 20મીએ જનજાતીય નૃત્યનો કાર્યક્રમ યોજાશે, જેમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ પરફોર્મ કરશે. તારીખ 21ના રોજ જાણીતા લોકકલાકાર ગીતાબેન રબારીનો ડાયરો યોજાશે, સાથે જ મહાઆરતી પણ યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં પ્રવેશ નિ:શુલ્ક હોવાથી કોઈ પણ માણવી એ માણી શકશે. તમામ કાર્યક્રમો નિયત તારીખે સાંજે 7.00 વાગ્યા થી 10:30 સુધી ચાલશે.

22મીએ રામ રથયાત્રા અને અયોધ્યાનું જીવંત પ્રસારણ

તારીખ 22મીની સવારે રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા યુનિવર્સીટીથી નીકળીને આજુબાજુના વિસ્તારોમાં ફરશે અને યુનિવર્સીટી પર પાછી ફરશે. એ પછી અયોધ્યામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની હાજરીમાં યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટ નિહાળવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.