ટ્રેડિશનલ આમિર

ટ્રેડિશનલ આમિર

Mnf network:  આમિર ખાને એ વાતની ખાતરી રાખી છે કે તેની દીકરી આઇરાનાં લગ્નમાં તેના ઘરની દરેક મહિલાઓ નવવારી સાડી પહેરે. આઇરાનાં લગ્ન ઉદયપુરમાં ૮થી ૧૦ જાન્યુઆરી દરમ્યાન યોજાવાનાં છે. આમિર લગ્નની તૈયારી માટે પહેલેથી ઉદયપુર પહોંચી ગયો છે તેમ જ નૂપુર શિખરેની ફૅમિલી દ્વારા જે કહેવામાં આવી છે એ દરેક વસ્તુ આમિર લગ્નમાં આપી રહ્યો છે. નૂપુરની ફૅમિલીના દરેક ટ્રેડિશનલ અને વિધિઓને સારી રીતે પૂરી કરવામાં આવે એની આમિર તકેદારી રાખી રહ્યો છે.

શગુન કી મેંદી અને હલ્દીને સાથે સેલિબ્રેટ કરવામાં આવી રહી હોવાથી એકદમ વાસ્તવિક મહારાષ્ટ્રિયન લગ્ન માટે તેણે તેના ઘરની દરેક મહિલાઓને નવવારી સાડી પહેરવા કહ્યું છે. તેઓ ઉદયપુરમાં મહારાષ્ટ્રિયન વિધિથી લગ્ન કરી રહ્યા છે અને મુંબઈમાં ૧૩ જાન્યુઆરીએ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સલમાન ખાન અને શાહરુખ ખાન સહિત તમામ મોટી હસ્તીઓ એ રિસેપ્શનમાં જોવા મળશે.