ઊંઝા તાલુકાના પ્રાણપ્રશ્ન ને લઈ ભાવેશ પટેલ મેદાને : વડનગર જિલ્લો બને તો ઊંઝા નો સમાવેશ ક્યા જિલ્લામાં ? જાણો

ઊંઝા તાલુકાના પ્રાણપ્રશ્ન ને લઈ ભાવેશ પટેલ મેદાને : વડનગર જિલ્લો બને તો ઊંઝા નો સમાવેશ ક્યા જિલ્લામાં ? જાણો

રાજ્ય સરકાર દ્વારા નવીન 3 જિલ્લા રચના કરવાની વિચારણા મુદ્દે નવીન વડનગર જીલ્લા માથી ઊંઝા તાલુકા વિસ્તારને બાકાત રાખવા કરાઈ રજુઆત

 ઊંઝા નગરપાલિકાના પુર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ દ્વારા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત  

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વિભાજન હાથ ધરી નવીન 3 જીલ્લા રચના કરવાની વિચારણા હેઠળ છે, જેમાં વડનગર જિલ્લા રચનામાં ખેરાલુ, સતલાસણા, વડનગર, વિસનગર, ઊંઝા સહિત પાંચ તાલુકાને મહેસાણા જિલ્લા માંથી વિભાજન કરી નવિન વડનગર જિલ્લામાં સમાવેશ કરવાનું રાજ્ય સરકારના વિચારણા હેઠળ છે.

    ત્યારે ઊંઝા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારશ્રી દ્વારા નવીન 3 જિલ્લા રચના કરવાની વિચારણા હેઠળ છે, જેમાં વડનગર જિલ્લા રચનામાં મહેસાણા થી દૂર અંતરયાર સતલાસણા, ખેરાલુ, વડનગર, તાલુકાના નાગરિકોને જિલ્લા મથકનો લાભ મળી શકે પરંતુ ઊંઝા તાલુકાને નવીન વડનગર જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તો નાગરિકોની મુશ્કેલીમાં વધારો થાય વડનગર વિસ્તાર ઊંઝા તાલુકા માટે દૂર છેવાડૂં અગવડતા પડે.

   અગાઉ વર્ષ 1997 જિલ્લા વિભાજનમાં પાટણ જિલ્લા નવીન બનતા સાથે સિધ્ધપુર તાલુકામાંથી નવો ઊંઝા તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો અને ઊંઝા તાલુકો પાટણ જિલ્લામાં સમાવેશ થયો, ત્યાર બાદ ઊંઝા પંથકના નાગરિકોને રજૂઆત પગલે મૂળ મહેસાણા જિલ્લામા ઊંઝાને પરત લાવવામાં આવ્યું.

ઊંઝા વિસ્તાર સામાજિક, શૈક્ષણિક વેપાર વાણિજ્ય ક્ષેત્રે મહેસાણા સાથે જોડાયેલ છે જે ઉદ્દેશથી જિલ્લાના વિભાજન પ્રક્રિયામાં ઊંઝા તાલુકા વિસ્તારને મહેસાણા જિલ્લાનામાં યથાવત રાખવા માગણી સાથે ભાવેશ પટેલ દ્વાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લેખિત રજૂઆત કરાઈ છે.