PM મોદીના હોમ ટાઉનમાં જન્મ દિવસની ઉજવણી અનોખી કેક થી થશે

PM મોદીના હોમ ટાઉનમાં જન્મ દિવસની ઉજવણી અનોખી કેક થી થશે

સુખડી ની કેક કાપવામાં આવશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ, વડનગર : 17 સપ્ટેમ્બર, 2023 ના રોજ  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના 73 મા જન્મદિવસ ની ઊજવણીને લઈ વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે સાંજે ૭-૧૦ કલાકે ભોળાનાથ ની આરતી અને દિવ્ય સુખડી કેકરૂપે પ્રસાદ તરીકે રાખેલ છે.

આ આરતીમાં સોમાભાઈ મોદી,માયાભાઈ આહીર , ઉર્વશી રાદડીયા, સાધના સરગમ, પંકજભાઈ ભટ્ટ અને એમની સમગ્ર ટીમ પણ જોડાનાર છે સાથે ભોળાનાથ ના હરિભક્તો ભાજપ ના સૌ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવશે.