સુરત : ભાજપે ચેર્યાસી બેઠક પર સંદિપ દેસાઈને આપી ટીકીટ : ઝંખનાબેન પટેલ નું પત્તું કપાયું

સુરત : ભાજપે ચેર્યાસી બેઠક પર સંદિપ દેસાઈને આપી ટીકીટ : ઝંખનાબેન પટેલ નું પત્તું કપાયું

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં બીજી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.જેમાં સુરત ચોર્યાસી બેઠક ઉપરથી સંદીપભાઈ દેસાઈ નું નામ જાહેર કરવામાં આવ્યું છે.અર્થાત્ જંખનાબેન પટેલ નું પત્તુ કપાયું છે અને ઝંખનાબેન પટેલના સ્થાને સંદીપભાઈ દેસાઈને ટિકિટ આપતા તેમના સમર્થકોમાં ખુશી વ્યાપી ગઈ છે.

અત્રે નોંધનીય છે કે સંદીપભાઈ દેસાઈ એ ભારતીય જનતા પાર્ટીના એક મોટા ગજાના કાર્યકર છે.એટલું જ નહીં તેઓ સુરતની કેટલીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. હાલમાં સંદીપભાઈ દેસાઈ સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના વોઇસ ચેરમેન છે .ઉપરાંત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નો હોદ્દો ધરાવે છે તેમજ સુરતની સૌથી મોટી સમુલ ડેરીમાં તેઓ ડિરેક્ટર પદ પર સેવાઓ આપે છે.આ ઉપરાંત કૃષિ બજાર સુરતના તેઓ વાઇસ પ્રેસિડન્ટ છે.આમ સુરતની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા બહુ મુખી પ્રતિભા ધરાવતા સંદીપ દેસાઈ પણ એક દિગજજ ગજાના નેતા ગણી શકાય. જો કે ચોર્યાસીની સીટ પર સંદીપ દેસાઈ ની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.