સુરત : સુમન ભાર્ગવ સોસાયટીમાં રહીશો દસ દિવસ કરશે ગણપતિ બાપાની અનોખી ભક્તિ

સુરત : સુમન ભાર્ગવ સોસાયટીમાં રહીશો દસ દિવસ કરશે ગણપતિ બાપાની અનોખી ભક્તિ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  આજે ગણેશ ચતુર્થી. ગણેશ સ્થાપનનો ઉત્તમ અને શ્રેષ્ઠ દિવસ. આજના દિવસે સુરતમાં ગણપતિ ઉત્સવનો માહોલ ખૂબ જ ભક્તિમય જોવા મળે છે. દરેક સોસાયટીઓમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી ગણપતિ બાપા ની ઉપાસના કરવામાં આવે છે. 

આજના દિવસે સુરતમાં દરેક સ્થળોએ મોટાપાયે ગણપતિ સ્થાપન નો કાર્યક્રમ યોજાય છે. ત્યારે સુરતના વીઆઈપી રોડ વેસુ ભરથાણા ખાતે આવેલ સુમન ભાર્ગવ સોસાયટીમાં ભક્તિમય માહોલમાં ગણપતિ બાપા ના સ્થાપનનો કાર્યક્રમ યોજાયો હતો. સુમનભાર્ગવના દરેક વિંગમાં લોકોએ આસ્થાપૂર્વક ગણપતિ બાપા ની સ્થાપના કરી હતી. હવે દસ દિવસ સુધી ગણપતિ બાપા ની ભક્તિ કરવામાં આવશે.દરરોજ અહીં જુદા જુદા કાર્યક્રમો પણ યોજવામાં આવશે.દસ દિવસ સુધી ગણપતિ બાપાની અનોખી ભક્તિ કરી લોકો ધન્યતા અનુભવશે.