યાત્રીઓ આનંદો ! સુરત : રાજકોટ - સિકંદરાબાદ ટ્રેન ને નવસારી ખાતે સ્ટોપેજ અપાયું

યાત્રીઓ આનંદો ! સુરત : રાજકોટ - સિકંદરાબાદ ટ્રેન ને નવસારી ખાતે સ્ટોપેજ અપાયું

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : કેન્દ્રીય રાજ્ય રેલવેમંત્રી દર્શનાબેન જરદોશ ના નેતૃત્વમાં ગુજરાતમાં રેલવે સુવિધાઓ વધુ સારી રીતે ઉપલબ્ધ થઈ રહી છે.વિવિધ સ્થળે રેલવે સ્ટોપેજ થી લઇ નવી ટ્રેનો ની સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે.

ત્યારે તાજેતરમાં યાત્રીઓ રાજકોટ - સિકન્દ્રાબાદ ટ્રેનને ( ટ્રેન નંબર 22717/18 ) નવસારી ખાતે સ્ટોપજ આપવા માટે માંગણી કરાઈ હતી જે રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા ધ્યાને લઈ આ ટ્રેન ને સ્ટોપેજ અપાતા યાત્રાઓમાં ખુશી ની લાગણી પ્રસરી ગઇ છે.

.