વિસનગર : AAP ની સભામાં સ્વયંભૂ માનવ મહેરામણ ઉમટયું : અલ્પેશ કથીરિયાએ આરોગ્યમંત્રી પર કર્યો પ્રહાર

વિસનગર : AAP ની સભામાં સ્વયંભૂ માનવ મહેરામણ ઉમટયું : અલ્પેશ કથીરિયાએ આરોગ્યમંત્રી પર કર્યો પ્રહાર

વિસનગરમાં આમ આદમી પાર્ટીની જંગી સભા યોજાઈ

આમ આદમી પાર્ટીના નેતા જયંતીભાઈ પટેલ (વકીલ) ના સમર્થનમાં યોજાઇ સભા

સભામાં સુરત વરાછાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને સ્ટાર પ્રચારક અલ્પેશ કથીરિયા એ આપી હાજરી

અલ્પેશ કથીરિયાએ જંગી સભાને સંબોધતા આરોગ્ય મંત્રી ના નામ પર કર્યા પ્રહાર

સભામાં સ્વયંભૂ મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી

વિસનગરમાં આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે જબરજસ્ત પ્રતિસાદ

મોર્નિંગ ન્યુઝ ફોકસ વિસનગર : મતદાનને આડે હવે માત્ર ગણતરીના સમય બાકી રહ્યો છે ત્યારે ચૂંટણીના પડગામ શાંત થાય તે પહેલા વિસનગરમાં આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક એવા અલ્પેશ કથીરિયા ગબ્બરની જંગી સભા યોજાઈ હતી જેમાં લોકો સ્વયંભૂ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ સભામાં અલ્પેશ કથીરિયાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતીભાઈ વકીલને જીતાડવા માટે મતદારોને અપીલ કરી હતી.

અલ્પેશ કથીરિયા એ આરોગ્ય મંત્રી પર સીધા પ્રહારો કર્યા હતા કથીરિયાએ જણાવ્યું હતું કે, " કહેવાય છે આરોગ્યમંત્રી , પણ આરોગ્યમંત્રીના વિસ્તારમાં સગર્ભા માટે ગાયનેક ડોકટર નથી કે ગાયનેકોલોજીસ્ટ નથી . હું જ્યાં રહુ છું ત્યાં સુરતના વરાછામાં પણ એક આરોગ્યમંત્રી હતા . અમારા એક કાકા આરોગ્યમંત્રી હતાં . એમને હટાવ્યા પછી અહીંના તમારા ભાઈને આરોગ્યમંત્રી બનાવ્યા. પહેલી તારીખે એમનું પિક્ચર પૂરું થઈ ગયું હવે પાંચ તારીખે તમારે અહીંયા પિક્ચર પૂરું કરવાનું છે ."