Breaking ઊંઝા : એસ. ટી. બસ નું ટાયર બેસી ગયું, ખાલી બસ હોવાને કારણે જાનહાની ટળી

Breaking ઊંઝા : એસ. ટી. બસ નું ટાયર બેસી ગયું, ખાલી બસ હોવાને કારણે જાનહાની ટળી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( ખબર પત્રી દ્વારા ) : ઊંઝા વિસનગર ચોકડી પાસે જાનૈયા લેવા માટે આવેલી બસ નું ટાયર બેસી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ઊંઝા ડેપો મેનેજર સાથે થયેલી વાતચીતમાં જણાવ્યા મુજબ જાનૈયાઓ લેવા માટે આવેલી બસનું આગળના ભાગનું ટાયર રોડ પર એકાએક અંદર ઘૂસી ગયું હતું. બસનું ટાયર ગટર વાળા ભાગને કારણે બેસી ગયું હોવાનું ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે બસમાં કોઈ પેસેન્જર ન હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.