રાજકોટ માં મોટી દુર્ઘટના : સ્લેબ તૂટી પડતાં 1 નું મોત, 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત

રાજકોટ માં મોટી દુર્ઘટના : સ્લેબ તૂટી પડતાં 1 નું મોત, 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત

મો.ન્યુ.ફો.નેટવર્ક : રાજકોટના સર્વેશ્વર ચોકમાં મોટી દૂર્ઘટના સર્જાઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ફૂડ બજાર પાસે વોકળા ઉપરનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. ઘટનાને પગલે પોલીસ અને ફાયરવિભાગને જાણ કરાતા ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્લેબ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે, ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા જેના પગલે અચાનક ફૂડ બજાર પાસે વોકળા ઉપરનો સ્લેબ ધરાશીયી થતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે અને 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું આવી રહ્યા છે. દુર્ઘનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઇમરજન્સી વિભાગ ખાતે ઇજાગ્રસ્તોના પરિજનો ઉમટ્યા છે. ઘટનાને લઇ સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે.