Breaking: PM મોદીના વતન વડનગરમાં એરપોર્ટ બનાવવા માટેની કવાયત શરૂ

Breaking: PM મોદીના વતન વડનગરમાં એરપોર્ટ બનાવવા માટેની કવાયત શરૂ

ગુંજા,વડનગર અને ચાંદપુર આસપાસ બની શકે છે એરપોર્ટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વતન વડનગરને ટુરીઝમમાં સમાવિષ્ટ કર્યું છે.જેને લઇને વડનગરમાં એરપોર્ટ બનાવવાનું આયોજન ચાલી રહ્યું હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વતન વડનગરમાં એરપોર્ટ બનાવવાનું સરકાર દ્વારા આયોજન છે. ત્યારે આગામી 6 ડિસેમ્બર 2023 ના રોજ એક ટીમ સ્થળ તપાસ માટે આવવાની હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

ચર્ચાતી વિગતો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન વડનગર એ ઐતિહાસિક નગર છે તેમજ વડનગરનો સમાવેશ ટુરિઝમમાં કરવામાં આવ્યો છે ત્યારે હવે વડનગરમાં એરપોર્ટ બનશે તો શહેરની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લાગશે.