Exclusive : હવે આ સેનેટાઇઝર વડે કોરોના વાયરસનો થશે 60 સેકન્ડમાં જ ખાત્મો, જાણી લો શુ છે સમગ્ર પદ્ધતિ

Exclusive :  હવે આ સેનેટાઇઝર વડે કોરોના વાયરસનો થશે 60 સેકન્ડમાં જ ખાત્મો, જાણી લો શુ છે સમગ્ર પદ્ધતિ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   સામાન્ય રીતે કોરોનાવાયરસ નાક અને મોઢા દ્વારા ફેફસાં સુધી પહોંચે છે અને ફેફસાંને નુકસાન પહોંચાડે છે ત્યારે હવે એવું હર્બલ સેનેટાઈઝર તૈયાર કરવામાં આવ્યું છે કે જેથી માત્ર અને માત્ર 60 સેકન્ડમાં જ કોરોનાવાયરસ નો ખાત્મો કરી શકાય છે.

મૂળ ઉત્તરપ્રદેશ સિદ્ધાર્થનગરના બાંસીના નિવાસી અમેરિકી વૈજ્ઞાનિકે ડો.શાશ્વત શ્રીનિવાસે એેક હર્બલ માઉથ સેનીટાઇઝર બનાવ્યુ છે. તેના પ્રયોગથી વાયરસ મોઢામાં જ નષ્ટ થઇ જશે. તેમાં કોઇ પ્રકારનુ કેમિકલ ભેળવવામાં આવ્યુ નથી. 60 સેકન્ડમાં જ કોરોના વાયરસ મોઢામાં નષ્ટ થઇ જશે.

શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમણે આ હર્બલ સેનીટાઇઝર બિડલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ હૈદરાબાદની પ્રોફેસર ડૉ. સુમન કપૂર સાથે મળીને રાઇટશ્યોર નામના સેનીટાઇઝરનું નિર્માણ કર્યુ છે. દવા તરીકે પ્રયોગ માટે એઇમ્સ જોધપુરમાં તેનુ ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહ્યુ છે. શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમાં મૂલેઠી, બ્રાહ્મી, શતાવરી, કલૌંજી, તુલસી જેવી 24 ઔષધીઓ છે. જેનાથી માઉથવોશ કરશો તો તેનો અસર લાંબા સમય સુધી રહેશે.