શિક્ષક દિવસનું મહત્વ

શિક્ષક દિવસનું મહત્વ

આપણા બધાના જીવનમાં ગુરુનું એક આગવું મહત્વ છે. પ્રાચીન સમયમાં શિક્ષકને “ગુરુ” તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ એક એવી વ્યક્તિ છે જે હજારો વિદ્યાર્થીઓના જીવનને ઉજાગર કરે છે. શિક્ષક વિદ્યાર્થીઓેને જ્ઞાન આપે છે. શિક્ષકના માર્ગદર્શનથી શીખનારનો માર્ગ આનંદમય અને સફળ અને સરળ બનતો હોય છે. શિક્ષકો વિદ્યાર્થીઓનું ભવિષ્યનું ઘડતર કરતા હોય છે. તેઓ શિક્ષણ દ્વારા ઘણા વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે અને આ પરિવર્તન આમ સમાજને પણ અસર કરે છે.