ઊંઝાના મહેરવાડા ગામે નવરાત્રીની અનોખી ઉજવણી, 4 ઓક્ટોબરે યોજાશે મેળો

ઊંઝાના મહેરવાડા ગામે નવરાત્રીની અનોખી ઉજવણી, 4 ઓક્ટોબરે યોજાશે મેળો

ઊંઝાના મહેરવાડા ગામે નવરાત્રિ દરમિયાન  પ્રાચીન સંસ્કૃતિ મુજબ મૂળ ગરબાની જળવાતી પરંપરા

મહેરવાડા ગામના ગરબા જોવાનો અનેરો લ્હાવો

 મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા:   ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે શ્રી મહાકાલી માતાજીનું 900વર્ષ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે અહીં નવરાત્રિ દરમિયાન ગામના વિવિધ ચોકમાં મહિલાઓ ચાંદીના, તાંબાના, માટીના ગરબા તેમજ માંડવીઓ માથે મૂકી ગરબા રમે છે જેથી મહેરવાડા ગામમાં હજુ પણ મૂળ ગરબાની પરંપરા હજુ પણ અકબંધ જળવાઈ રહી છે જે ગરબા જોવા અને મહાકાલી માતાજીના દર્શન કરવા  પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો નવરાત્રિ દરમિયાન અચૂક મહેરવાડા આવે છે.
     ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે શ્રી મહાકાળી માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે જેની સ્થાપના નો કોઈ નક્કર ઉલ્લેખ  કે રેકર્ડ નથી પરંતુ બારોટના રેકોર્ડ મુજબ મહાકાળી માતાજી નો પરચો 900 વર્ષ પહેલા મળેલો તે વખતે ત્યાં નાની દેરી બનાવી સમયાંતરે આશરે 150 વર્ષ પહેલા તેની બાજુમાં હાલ હયાત છે તે મોટું મંદિર બનાવ્યું હતું પંથકના આજુબાજુના ગામના લોકો શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શનાથી આવે છે માતાજીની મૂર્તિની વિશેષતા એ છે કે આમ તૌર પર  મહાકાળી માતાજીની મૂર્તિ રુદ્ર સ્વરૂપે તથા કાળા પથ્થરની હોય છે પણ મહેરવાડા ગામમાં માતાજીની મૂર્તિ સૌમ્ય સ્વરૂપે તથા સફેદ માર્બલ માંથી બનાવેલી તથા તેનું મુખ થોડું ગામ તરફ ઝૂકતું છે એવું કહેવાય છે કે નિસંતાન દંપત્તિ શ્રદ્ધા રાખી દર્શન કરે તો તેમની આશા ચોક્કસ પૂરી થાય છે.

નવરાત્રિ પર્વના નવ એક દિવસ દરમિયાન ગામના ચાચર ચોકમાં માતાજી માતાજીના ગરબા રમાય છે મહેરવાડા ગામે હજુ પણ ગરબાની સંસ્કૃતિ જાળવી રાખી છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગામની મહિલાઓ ચાંદી તાંબા કે માટીના નયનરમ્ય કોતરણીથી કરેલ ગરબા મહિલાઓ માથે મૂકી ગરબે રમે છે  બેડા સ્વરૂપે જ્યાં ગરબો ઘુમતો હોય ત્યારે તેને  નિહાળવાનો લ્હાવો કંઈક અલગ જ છે નોમની રાત્રે  અહીં ભવ્ય લોક મેળો ભરાય છે.જેમાં દર વર્ષે લગભગ લગભગ એકાદ લાખ લોકો ગરબા જોવા તેમજ માતાજીના દર્શન કરવા આજુબાજુના પંથકમાંથી ઉમટી પડે છે  અને દર્શન કરી ધન્યતા અનુભવે છે ગામ બહાર વસતા તમામ જ્ઞાતિ જાતિના લોકો નવરાત્રી દરમિયાન ગામમાં અચૂક આવે છે કહેવાય છે કે માતાજીની સાચી શ્રદ્ધાથી દર્શન કરવાથી લોકોના ગમે તેવા અટવાયેલા કામ પૂર્ણ થાય તેવી લોકમાન્યતા છે.

 ચાલુ વર્ષે નોમ નો મેળો તારીખ 4 ઓક્ટોબર 2022 ને મંગળવાર છે યોજાનાર છે શ્રી મહાકાળી માતાજી સંસ્થાન દ્રારા નોમની રાત્રી દરમિયાન ભરાતા મેળાની તડામાર તૈયારીઓ કરાઈ છે.