Breaking : ઊંઝાના ભ્રાહ્મણવાડા પાસે 4 વાહનોનો ગમખ્વાર અકસ્માત, જાણો વધુ

Breaking : ઊંઝાના ભ્રાહ્મણવાડા પાસે 4 વાહનોનો ગમખ્વાર અકસ્માત, જાણો વધુ

ઊંઝા તાલુકાના ભ્રાહ્મણવાડા પાસે ગમખ્વાર અકસ્માત

અકસ્માતમાં 1 નું મોત, 6 ઘાયલ

ઇજાગ્રસ્તોને ધારપુર અને મહેસાણા સિવિલમાં ખસેડાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક બ્રાહ્મણવાડા પાસે ગમખ્વાર અકસ્માત થયો હોવાની ઘટના સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે જેમાં ચાર વાહનોનું એકબીજા સાથે અથડાતા એકનો મોત અને છ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે

પ્રાપ્ત વિગતો અનુસાર ઉંઝા તાલુકાના નજીક આજે રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં  ટ્રક, વેગનાર, આઈસર ટ્રક અને  અલ્ટો કાર સહિત ચાર જેટલા વાહનો એકબીજા સાથે અથડાતા 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાની અને 6 જેટલા લોકો ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.ઇજાગ્રસ્તો ને ધારપુર અને મહેસાણા સિવિલ માં ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. ઉંઝા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. અત્રે નોધનીય છે કે ઉંઝા તાલુકાના આ બ્રાહ્મણવાડા પાસે વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોય એવું જાણવા મળેલ છે જેથી અહીં બ્રિજ બનાવવાની પણ તીવ્ર માંગ ઉઠી છે.