એનએમસીની 50 ટકા મેડીકલ કોલેજોને શો-કોઝ નોટીસ

એનએમસીની 50 ટકા મેડીકલ કોલેજોને શો-કોઝ નોટીસ

Mnf network : નેશનલ મેડિકલ કમિશન (NMC) એ લગભગ 50 ટકા મેડિકલ કોલેજોને તેમના દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન ન કરવા બદલ કારણ દર્શાવો નોટિસ જારી કરી છે. જો ગખઈ માપદંડોનું પાલન ન કરે તો ભારતની અડધી મેડિકલ કોલેજો માન્યતા ગુમાવી શકે.

જો કોલેજો ભૂલ સુધારશે નહીં તો આ કોલેજોમાં એક વર્ષ માટે પ્રવેશ અટકાવી દેવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ગખઈએ કેરળના ઇડુક્કીમાં એક મેડિકલ કોલેજને નબળી હાજરી, શિક્ષકોની ઓછી સંખ્યા અને લઘુતમ ધોરણની આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળતા માટે કારણ બતાવો નોટિસ જારી કરી છે. કોલેજોમાં ફેકલ્ટીની સંખ્યા પણ ઓછી છે અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોની હાજરી પણ પૂરતી નથી. વધુમાં, લઘુતમ માપદંડોની જરૂરિયાતો (MSR) 2023 હેઠળ ઘણી ક્ષતિઓ જોવા મળી હતી. દિશા-નિર્દેશો અનુસાર તમામ ફેકલ્ટી અને વરિષ્ઠ નિવાસી ડોકટરોની ઓછામાં ઓછી 75 ટકા હાજરી ફરજિયાત છે.

અગાઉ મે મહિનામાં નિયમોનું પાલન ન કરવા, ઓછી ફેકલ્ટી અને CCTV કેમેરા સંબંધિત અનેક ખામીઓના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારી ડેટા અનુસાર, 2014થી અત્યાર સુધીમાં મેડિકલ કોલેજોની સંખ્યા લગભગ બમણી થઈને 387થી વધીને 654 થઈ ગઈ છે. MBBSની બેઠકોની સંખ્યા પણ વધીને 94 ટકા થઈ ગઈ છે.