ઊંઝા : કાર્યકર્તા બુથ સંમેલન પહેલા ભાજપનો વધુ એક છબરડો બહાર આવ્યો, જાણીને ચોંકી જશો

ઊંઝા : કાર્યકર્તા બુથ સંમેલન પહેલા  ભાજપનો વધુ એક છબરડો બહાર આવ્યો, જાણીને ચોંકી જશો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના) : ઊંઝા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોઈ મોટા કાર્યક્રમોનું આયોજન થાય છે તેમાં ભાગ્યે જ એવો કોઈ કાર્યક્રમ હશે જેમાં કોઈ મોટો છબરડો બહાર ન આવ્યો હોય. જેમ ઊંઝા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અને હોદ્દેદારો વિવિધ કૌભાંડોને લઈને સતત અઢી વર્ષ સુધી વિવાદોમાં રહ્યા તે જ રીતે ઊંઝા ભારતીય જનતા પાર્ટી પણ અનેક કાર્યક્રમોમાં છબરડાઓ ને લીધે વિવાદોમાં રહી છે. કાર્યક્રમની મહત્વતા કરતા છબરડાઓનો વિવાદ વધારે ચર્ચાસ્પદ બનતો હોય છે.

ભૂલ સુધારી વાયરલ થયેલ બેનર)

પ્રાપ્ત વિગતો અનુસાર, ઊંઝા નવનિર્મિત સરદાર પટેલ ટાઉનહોલ ખાતે 25 સપ્ટેમ્બર ને સોમવાર ના રોજ બુથ કાર્યકર્તાઓ નો સન્માન કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે.ત્યારે આ કાર્યક્રમમાં ઊંઝા વિધાનસભા વિસ્તારના બૂથમાં 500 કરતાં વધારે મતો ની લીડ મેળવનાર કાર્યકર્તાઓ નું સન્માન કરવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહેનાર છે.

( ભૂલ ભરેલું પોસ્ટર - ઉપરોક્ત પોસ્ટરમાં સાંસદ સભ્ય શારદાબેન પટેલ નો ફોટો ડાબી બાજુએ દ્રશ્યમાન થતો નથી )

ઉપરોક્ત કાર્યક્રમનું એક બેનર ( પોસ્ટર ) સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. જેમાં  વાયરલ થયેલ બેનરમાં મહેસાણા જિલ્લાના સાંસદ શારદાબેન પટેલ નો ફોટો ન હતો. જેને લઈને પાછળથી ભૂલ થયાનો અહેસાસ થતાં છેવટે પોસ્ટરમાં આ ફોટો ઉમેરવામાં આવ્યો હતો અને ફરીથી આ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. ત્યારે સવાલ એ થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીના મહત્વના જવાબદાર હોદ્દેદારો આવી નાની નાની બાબતો ઉપર ધ્યાન નહીં આપતા હોય? શું આ બધું આ નેતાઓની જાણ બહાર જ ચાલતું હશે ? આવા ને આવા છબરડાઓ ખરેખર કાર્યકર્તાઓની મહેનત પર પાણી ફેરવતા હોય છે. ત્યારે ધારાસભ્ય આવી નાની નાની બાબતો સામે કેમ આંખ આડા કાન કરતાં રહે છે ?