ગણેશ પંડાલમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પૂજા કરતા હતા અને એકાએક લાગી આગ

ગણેશ પંડાલમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પૂજા કરતા હતા અને એકાએક લાગી આગ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આજે સાંજે મંગળવારે પુણેના લોકમાન્ય નગર વિસ્તારમાં ભગવાન ગણેશને સમર્પિત પંડાલમાં આગ લાગી હતી.

મીડિયા અહેવાલ મુજબ, આગ લાગી તે  સમયે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પાર્ટીના મહારાષ્ટ્ર યુનિટના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે સાથે પંડાલમાં પૂજા કરી રહ્યા હતા. આગ લાગતા જેપી નડ્ડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે સાને ગુરુજી ગણેશ મિત્ર મંડળના પંડાલમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ ફટાકડામાંથી નીકળતા તણખા હોવાનું કહેવાય છે. જ્યારે આગ લાગી ત્યારે વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો, જેના કારણે આગ ઓલવવા માં સરળતા રહી હતી.