Breaking : દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાજી નો ગુજરાત પ્રવાસ રદ થયો, સામે આવ્યું ચોંકાવનારું કારણ

Breaking : દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાજી નો ગુજરાત પ્રવાસ રદ થયો, સામે આવ્યું ચોંકાવનારું કારણ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, નેટવર્ક :  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને લોકપ્રિય શિક્ષણ પ્રધાન એવા મનીષ સિસોદિયાજી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવવાના હતા. જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ આવતીકાલે ગુજરાતની રાજનીતિમાં વધુ એક મોટો ધડાકો થશે એવી વાતો વહેતી થઈ હતી. ત્યારે આવતીકાલના મનીષ સિસોદિયાજી ના પ્રવાસને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મનીષ સિસોદિયાજીનો આવતીકાલનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે.

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયાજી એ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, " કાલે સવારે ગુજરાત જવાનું હતું પરંતુ તબિયત થોડી ખરાબ થવાના કારણે ડૉક્ટરની સલાહ મુજબ હવે આવતીકાલનો કાર્યક્રમ કેન્સલ કરવો પડશે. કાલે હું ગુજરાત નહિ આવી શકું તેનો ખેદ છે પરંતુ સ્વસ્થ થયા પછી તરત જ ગુજરાતને મળવા જલ્દી આવીશ."

આમ મનીષ સિસોદિયા જી ની તબિયત એકાએક નાદુરસ્ત હોવાને કારણે તેમનો ગુજરાત પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. જોકે ગુજરાતમાં દિગ્ગજ અને લોકપ્રિય પત્રકાર તેમજ કલાકાર સહિતના મોટા માથાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા હવે ગુજરાતના લોકોમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.