કાર્યાલય શુભારંભ/ ગોપાલ ઇટાલિયાએ કતારગામમાં એન્ટ્રી મારતાં જ કર્યો આ રેકર્ડ : ડીમોલેશન ને લઈ કહી મોટી વાત

કાર્યાલય શુભારંભ/ ગોપાલ ઇટાલિયાએ કતારગામમાં એન્ટ્રી મારતાં જ કર્યો આ રેકર્ડ : ડીમોલેશન ને લઈ કહી મોટી વાત

મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત : સુરતની તમામ વિધાનસભા બેઠકો પૈકી કતારગામ વિધાનસભામાં જબરદસ્ત ચૂંટણીનો જંગ જામી રહ્યો છે કારણ કે કતારગામ સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા ભાજપના વિનોદભાઈ મોરડીયા ની સામે ચૂંટણી લડી રહ્યા છે. જોકે હાલમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની સીધી લડાઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કતારગામ આંબા તલાવડી રોડ પર વડલા પાસે ગોપાલ ઇટાલીયાના આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

જોકે આમ આદમી પાર્ટીના કાર્યાલય ના શુભારંભ પ્રસંગે ગોપાલ ઇટાલીયા એ આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેવા પ્રકારની કામગીરી કરવા ઈચ્છે છે તેને લઈને મતદારો સામે વિઝન રજૂ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં કતારગામની ઓળખ ડી-મોલેશન વિસ્તાર તરીકે થઈ છે ત્યારે હવે આ વિસ્તારની ઓળખ બદલવા નો સમય આવી ગયો છે એમ કહીને તેમણે આ વિસ્તારના લોકોને જણાવ્યું હતું કે જો હું ચૂંટણી જીતીશ તો કતારગામમાં ખોટી રીતે ડિમોલેશન ના નામે થતા ઉઘરાણા બંધ થઈ જશે.

અત્રે નોંધનીય છે કે ગોપાલ ઇટાલીયા જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે તેમનું આ ભાષણ facebook માં લાઈવ હતું.એ સમયે ગોપાલ ઇટાલીયા ને 5,000 થી વધારે લોકો facebook માં લાઈવ જોઈ રહ્યા હતા. જોકે ખરેખર આ એક રેકર્ડ કહી શકાય. જોકે ગોપાલ ઇટાલીયા શરૂઆતથી જ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ છે.એટલું જ નહીં પરંતુ તેમની ઓળખ એક 'યુથ આઈકોન' તરીકેની પણ છે.

ગોપાલ ઇટાલીયા એ ભાજપના કાર્યકરોને એક વિનંતી કરી હતી કે ભાજપના નેતાઓ દ્વારા ખોટી રીતે જે ઉઘરાણા કરવામાં આવે છે એના પાપના ભાગીદાર તમે બનશો નહીં. ચૂંટણીઓ આવતી જશે પરંતુ જે નેતાઓ ચૂંટણી જીત્યા પછી ખોટી રીતે ઉઘરાણા કરે છે એ પાપના ભાગીદાર એનું સમર્થન કરીને તમે પણ બની રહ્યા છો.ત્યારે તેમણે આવા ઉઘરાણા કરનારા નેતાઓના ખોટા પ્રચાર કરીને પાપના ભાગીદાર ન બનવા માટે અનુરોધ કર્યો હતો. જો કે ગોપાલ ઇટાલીયા એ કરેલું આ પ્રસંગિક ભાષણ ભાજપના નેતાઓને હચમચાવી મૂકે તેવું હતું.