અમદાવાદ: સાબરમતી નદીમાં છોડાયું પાણી, ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ

અમદાવાદ: સાબરમતી નદીમાં છોડાયું પાણી, ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ

અમદાવાદ: ધરોઇ ડેમમાં પાણીની આવક વધતાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીમાં પાણીની આવક થઇ છે. અમદાવાદની સાબરમતી નદીમાં નવા નીરની આવક થઇ છે.  જ્યારે સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ છે. સ્થિતિ સામાન્ય બનતા ફ્લોટિંગ રેસ્ટોરા ફરી શરૂ થશે.

સાબરમતી નદીની સપાટી વધતા AMC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ છે. ટેકનિકલ ટીમ સાથે પરામર્શ બાદ નિર્ણય લેવાયો છે. આગામી સમયમાં વરસાદ રહેશે તો રિવર ક્રૂઝ બંધ રહેશે. સ્થિતિ સામાન્ય બનતા ફ્લોટિંગ રેસ્ટોરા ફરી શરૂ થશે.

ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં આવક થઇ છે. જેના પગલે વાસણા બેરેજના ગેટ ખોલી 18 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.

અમદાવાદના ઉપરવાસથી સાબરમતીમાં નવા નીરની આવક થઇ છે. સતત પાણીની આવકને પગલે વાસણા બેરેસના દરવાજા ખોલાયા છે. 15 દરવાજા ખોલીને 18 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. વાસણા બેરેજનું જળસ્તર 127 ફૂટ કરવામાં આવ્યું છે. પાણી છોડાતા નદી કિનારાના વિસ્તારોમાં તંત્રનું અલર્ટ છે. કિનારા વિસ્તારમાં ન જવા માટે લોકોને અપીલ કરાઇ છે.