ધો.12 ની બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાન તેમજ વાણિજ્ય,વિનયન સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ જાહેર કરાયુ

ધો.12 ની બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાન તેમજ વાણિજ્ય,વિનયન સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ જાહેર કરાયુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આગામી ૧ જુલાઇથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ12ની વિવિધ પ્રવાહની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની નોંધાયા છે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. સાયન્સમાં 1 જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. આ પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ સુધી ચાલશે.

અત્યાર સુધી એક વર્ગમાં 30 વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા. આ પરીક્ષામાં એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ બેસાડાશે.જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે. વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશે.
દરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે. પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગન સહિતની કોરોનાની એસ.ઓ.પી.નું પાલન ફરજિયાત કરાશે.

ધો.12 કોમર્સના મહત્વના વિષયોનું ટાઈમ ટેબલ.

સમય બપોરે 2 : 30 થી 5 : 45 

1 જુલાઈ -  એકાઉન્ટ 

2 જુલાઈ - આંકડાશાસ્ત્ર

5 જુલાઈ -  વાણિજ્ય વ્યવસ્થા

6 જુલાઈ -  અર્થશાસ્ત્ર

૭ જુલાઇ - ગુજરાતી

14 જુલાઈ  - અંગ્રેજી (દ્વિતીય ભાષા)

15 જુલાઈ  -  કમ્પ્યુટર

( નોંધ - ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં દરેક વિદ્યાર્થીએ પોતાના વિષયની પરીક્ષા ક્યારે છે તે જોવાનું રહેશે. ઉપર આપેલું ટાઈમટેબલ માત્ર કોમર્સ પ્રવાહના કેટલાક વિષયોનું જ છે.)