ડ્રીમ સીટી સહિતના વિવિધ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા સુરત મનપા કમિશ્નરે આપી ડેડ લાઇન

ડ્રીમ સીટી સહિતના વિવિધ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા સુરત મનપા કમિશ્નરે આપી ડેડ લાઇન

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર શાલિની અગ્રવાલે સુરત મનપાનો કારભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે . સોમવારથી મનપા કમિશનરે મીટિંગોનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને મનપા તેમજ સુડા પ્રોજેક્ટોની મુલાકાત લેવાનું શરૂ કર્યુ છે .

મંગળવારે સવારે મનપા કમિશનર શાલિની અગ્રવાલે ડ્રીમ સિટી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી . ખજોદ ખાતે ડ્રીમ સિટી પ્રોજેક્ટની વિઝિટ કરી , અધિકારીઓ અને ડાયમંડ બુર્સના પ્રતિનિધિ તથા સી.ઈ.ઓ. સાથે મીટિંગ કરી હતી અને ડ્રીમ સિટી પ્રોજેક્ટની કામગીરી જાન્યુઆરી -2023 અને માર્ચ -2023 સુધી બે તબક્કામાં પૂર્ણ કરવા માટે આયોજન સાથે એક્શન પ્લાન બનાવી કામગીરી કરવા સૂચના આપી હતી .

જે અંગે વધુ વિગત આપતાં મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે , સુરત શહેરના ડ્રીમસમાન ડ્રીમ સિટી પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે . એ માટે કામગીરીની 15-15 દિવસની ટાઈમલાઈન બનાવી એક્શન પ્લાન તૈયાર કરાશે અને પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરાશે . ઉપરાંત મનપા કમિશનરે સુડા ભવન ખાતે સુડા વિસ્તારના રસ્તાનાં કામો , બ્રિજ , આવાસ યોજના , આઉટ રિંગ રોડ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી , જેમાં તેઓએ આઉટર રિંગ રોડ પ્રોજેક્ટનું કામ પેકેજમાં થશે તેનું કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી .

આ સાથે તાપી શુદ્ધીકરણ પ્રોજેક્ટ અંતર્ગત સુરત મનપા સાથે સંકલન કરી ડ્રેનેજ લાઈન નાંખવાનું કામ તાકીદે કરવા જણાવ્યું હતું . મનપા કમિશનરે જણાવ્યું હતું કે , અગત્યના પ્રોજેક્ટોની ડેડલાઈન બાંધી દેવામાં આવી છે . જેના કારણે કામો ઝડપથી ઓન ટ્રેક થઈ શકશે અને પ્રોજેક્ટોની કામગીરી ઝડપથી થશે .

સુરતમાં ખજોદ , આભવા જ્યારે નવસારીમાં ઉભરાટ આસપાસના પ્રોજેક્ટ માટે બૂસ્ટર ડોઝ

બહુચર્ચિત આભવા - ઊભરાટ વચ્ચે બનનારા કેબલ બ્રિજ માટે અંતે ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે . ૧૭૮ કરોડના ખર્ચે ૭૪૦ મીટર લંબાઈનો ફોર લેન બ્રીજ બનાવવા ફેસ -૧ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે . કેબલ બ્રીજની કિંમત ૧૭૮ કરોડ અને જમીન સંપાદન સહિતના ખર્ચ કુલ ૪૪૮ કરોડના ખર્ચનો અંદાજ માંડવામાં આવ્યો છે . કેબલ બ્રીજની કામગીરી ત્રણ તબક્કામાં કરાશે . જ્યારે ૩૦ મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાની રહેશે . આ બ્રીજ બન્યાં બાદ સુરતથી માત્ર ૨૦ મિટિનમાં ઊભરાટ પહોંચી જવાશે.દેતાં તેમજ સુરતથી નવસારી પહોંચવામાં ૨૦ થી ૨૫ મિનિટનો સમય બચશે .

 વર્ષો પહેલા સુરત - ઊભરાટ વચ્ચે દરિયા પર ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી . પરંતુ અત્યાર સુધી આ જાહેરાત માત્ર કાગળ પર જોવા મળી રહી હતી . પરંતુ કેબલ બ્રિજ માટે ટેન્ડર જારી કરી દેવાતા સુરતના ખજોદ , આભવા જ્યારે નવસારીના ઊભરાટ સહિતની કેટલાય વિસ્તારના પ્રોજેક્ટને બૂલ્ટર ડોઝ મળશે . વર્ષોથી રોકાણ કરનારાઓ પણ ગેલમાં આવી ગયા છે . વહીવટી બાદ ટેક્નિકલ મંજૂરીતા મળ્યાંતા ગણતરીના દિવસોમાં જ કેબલ બ્રિજનું ટેન્ડર જારી કરી દેવાયું આભવા - ઊભરાટ ઓવરબ્રિજ માટે સરકાર દ્વારા ઘણાં સમય પહેલા વહીવટી મંજૂરી આપી દેવામાં આવી હતી . વહીવટી મંજૂરીને ગ્રીન સિગ્નલ આપ્યા બાદ લાંબા સમય બાદ ટેક્નિકલ આપવામાં આવી હતી . જોકે , ટેક્નિકલ મંજૂરીના ગણતરીના દિવસોમાં જ DTP એ પણ લીલીઝંડી દેતા માર્ગ અને મકાન વિભાગે ફેસ -૧ નું ટેન્ડર ઈશ્યુ કરી દીધું છે . હવે સમયમર્યાદા પૂરી ટેન્ડર ખોલવામાં આવશે.