રાજ્યમાં તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત થયુ

રાજ્યમાં તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત થયુ

પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા

અત્યાર સુધી ઘો.12 પાસ પર લેવાતી હતી પરીક્ષા

તલાટીની નવી ભરતી હવે ગ્રેજ્યુએશન પર થશે

Mnf network :  રાજ્યમાં તલાટીની પરિક્ષા માટે ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત થયુ છે. જેમાં પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા છે. અત્યાર સુધી ઘો.12 પાસ પર પરીક્ષા લેવાતી હતી. તથા તલાટીની નવી ભરતી હવે ગ્રેજ્યુએશન પર થશે. વય મર્યાદા 33 વર્ષથી વધારીને 35 વર્ષ કરાઈ છે.

ગ્રેજ્યુએટ ઉમેદવારો જ તલાટીની ભરતી માટે લાયક ગણાશે. હવે દરખાસ્તને મંજૂરી મળી જતા નવા નિયમ અમલી બનશે

તલાટી-કમ-મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે 

 દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે. એપ્રિલ 2010માં ગુજરાત સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી, જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો. 

ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે.