વડનગર : શ્રાવણ ઉત્સવ કાર્યક્રમ : શહેર ભાજપ પ્રમુખ ની દખલગીરી ! છૂપો રોષ

વડનગર : શ્રાવણ ઉત્સવ કાર્યક્રમ : શહેર ભાજપ પ્રમુખ ની દખલગીરી ! છૂપો રોષ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન વડનગર એ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની પુણ્ય ભૂમિ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ નગર ની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં રાજકીય રંગ આપવાનો ભાજપના કેટલાક નેતાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

આજના પવિત્ર દિવસે સોમવારથી શ્રાવણ માસનો આરંભ થયો છે ત્યારે ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગર વડનગરમાં ગુજરાત રાજ્ય પ્રવાસ નિગમ, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને વડનગર વિકાસ સમિતિના સહયોગથી આજે પાંચ ઓગસ્ટ અને સોમવારે રાત્રે 8:30 કલાકે જવાહર નવોદય વિદ્યાલય હોલ વડનગરમાં શ્રાવણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાયક કલાકાર પદ્મશ્રી હેમંત ચૌહાણ અને હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા ઉપસ્થિત રહેનાર છે. 

વડનગરમાં આયોજિત આ કાર્યક્રમ ચર્ચાસ્પદ એટલા માટે બન્યો છે કારણ કે આ સમગ્ર કાર્યક્રમ જાણે ભાજપ શહેર પ્રમુખ દ્વારા હાઇજેક કરવામાં આવ્યો હોય તેવી અટકળો વહેતી થઈ છે કારણ કે ભાજપ શહેર પ્રમુખ પોતાની મનમાની પૂર્વક સમગ્ર આયોજન કરી રહ્યા છે ત્યારે વડનગર શહેરના શિવ ભક્તો અને શહેર ભાજપના કાર્યકરોમાં શહેર ભાજપ પ્રમુખ પ્રત્યે છૂપો રોષ હોવાનું ખરચાઇ રહ્યુ છે.